Facing issue in account approval? email us at info@ipt.pw

Click to Ckeck Our - FREE SEO TOOLS

1
મનુષ્ય પાચનતંત્રની આકૃતિ : મનુષ્યમાં પાચનક્રિયા : મનુષ્યના મુખમાં ખોરાક મુકાય કે તરત જ પાચનની શરૂઆત થાય છે.મુખમાં ખોરાકનું પાચન : જ્યારે મુખમાં દાંત દ્વારા ખોરાક ચાવવાની ક્રિયા શરૂ થાય છે, ત્યારે લાળગ્રંથિમાંથી લાળરસનો સ્ત્રાવ થાય છે. જીભ ખોરાકને લાળરસ સાથે ભેળવે છે.લાળરસ પાણી જેવું પ્રવાહી છે. તે મુખમાં ખોરાકને ભીનો કરે છે. લાળરસમાં રહેલો એમાયલોઝ ઉત્સેચક ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું શર્કરામાં પાચન કરે છે.સ્ટાર્ચ/ગ્લાયકોજન    શર્કરા (ડાયસેકેરાઈડ)મુખમાં ખોરાક થોડો સમય રહેતો હોવાથી અંશતઃ પાચન થાય છે. આ ખોરાક મુખમાંથી કંઠનળી અને અન્નનળીમાં પસાર થઈ જઠરમાં જાય છે.જઠરમાં ખોરાકનું પાચન : જઠરમાં ખોરાક વલોવાય છે અને નાના ટુકડાઓ થવાથી ખોરાક અર્ધઘન સ્વરૂપમાં ફેરવાય છે.જઠરની દીવાલમાં આવેલી ત્રણ નલિકામય ગ્રંથિઓ જઠરરસનો સ્ત્રાવ કરે છે. જઠરરસમાં શ્લેષ્મ, મંદ HCL (હાઈડ્રોક્લોરિક અસિડ) અને નિષ્ક્રિય પેપ્સિનોજન ઉત્સેચક હોય છે.શ્લેષ્મ જઠરની દીવાલને મંદ HCL અને પેપ્સિનની અસરો સામે રક્ષણ આપે છે.મંદ HCLનાં કાર્યો : (1) ખોરાક સાથે દાખલ થયેલા બૅક્ટેરિયાનો તે નાશ કરે છે.(2) તે ખોરાકને ઍસિડિક બનાવેઐ, જઠરમાં ઍસિડિક માદ્જ્યમ પૂરું પાડે છે.(3) તે નિષ્ક્રિય પેપ્સિનોજન ઉત્સેચકને સક્રિય પેપ્સિનમાં ફેરવે છે.પેપ્સિનનું કાર્ય : પેપ્સિન ઉત્સેચક ખોરાકના પ્રોટીનનું અપૂર્ણ પાચન કરી નાના અણુઓમાં રૂપાંતર કરે છે. આમ, પ્રોટીનના પાચનની શરૂઆત જઠરથી થાય છે.જઠરમાંથી અર્ધપાચિત ખોરાક નાના આંતરડામાં જાય છે.નાના આંતરડામાં ખોરાકનું પાચન : નાના આંતરડામાં ખોરાકનું પાચન પિત્તરસ, સ્વાદુરસ અને આંત્રરસ દ્વારા થાય છે.પિત્તરસ : પિત્તરસ યકૃતમાંથી સ્ત્રાવ પામી પિતાશયમાં સંગ્રહાય છે. તે લીલાશયડતા પીળા રંગનો આલ્કલીય પાચક રસ છે. પિત્તરસ સામાન્ય પિત્તનળીમાં વહન પામી નાના આંતરડામાં આવે છે.પિત્તરસમાં આલ્કલીય પિત્તક્ષારો આવેલા છે.
Loading...

Comments

Who Upvoted this Story